ઘરે-ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિની વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર 68 કેસ જ દર્શાવ્યા સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4922 કેસમાંથી 3903 સાજા થયા, જ્યારે આજે સરકારી આંકડા મુજબ વધુ 3 દર્દીના મૃત્યુ સાથે કુલ 328ના મોત, એક્ટિવ કેસ 688 મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. આજે 27 એપ્રિલ, મંગળવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1730 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ 68 વ્યક્તિના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી. જ્યારે આજે પણ મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ 2 કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તેમજ આજે સત્તાવાર મોરબી જિલ્લામાં અગાવના એક અને આજના 2 સહિત 3 કોવિડ ડેથ જાહેર કર્યા છે. જ્યારે મૃતકોની કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરતી મોરબીની ફાયર વિભાગની ટીમ દ્વારા આજે કુલ 11 ડેડબોડીની અંતિમવિધિ કરવામાં આવી હતી. સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ મોરબી સીટી : 11 મોરબી ગ્રામ્ય : 18 વાંકાનેર સીટી : 03 વાંકાનેર ગ્રામ્ય : 02 હળવદ સીટી : 08 હળવદ ગ્રામ્ય : 07 ટંકારા સીટી : 00 ટંકારા ગ્રામ્ય : 14 માળીયા સીટી : 00 માળીયા ગ્રામ્ય : 05 આજના જિલ્લાના કુલ નવા કેસ : 68 આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત મોરબી તાલુકામાં : 27 વાંકાનેર તાલુકામાં : 06 હળવદ તાલુકામાં : 09 ટંકારા તાલુકામાં : 04 માળીયા તાલુકામાં : 03 આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 49 આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત કુલ એક્ટિવ કેસ : 688 કુલ ડિસ્ચાર્જ કેસ : 3903 મૃત્યુઆંક : 59 (કોરોનાના કારણે) 269 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 328 કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 4922 અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 253146