મોરબીમાં કોવિડ કેર સેન્ટરને રૂ. 25-25 હજારનું દાન આપી જન્મદિવસની સાર્થક ઉજવણી

- text


મોરબી : મોરબીમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે કોવિડ દર્દીઓને સારવાર આપવા માટે અલગ-અલગ સેવાભાવી સંગઠનો દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દર્દીઓને વધુ સઘન સારવાર મળી રહે તે માટે ઉદ્યોગપતિઓ સહિતના લોકો પોતાની યથાશક્તિ મુજબ અનુદાનની સરવાણી વહાવી રહ્યા છે.

- text

ત્યારે મોરબીમાં સ્વરાંગન સ્ટુડીયો ચલાવવાની સાથે અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈને સેવાપ્રવૃત્તિ કરતા હંસરાજ ગામીના નવ વર્ષીય પૌત્ર મંત ગોપાલભાઈ ગામીના આજે જન્મદિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૌત્ર મંત ગોપાલભાઈ ગામીના જન્મદિવસ નિમિત્તે તેઓ દ્વારા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટર અને જોધપર ગામે આવેલા પાટીદાર કોવિડ કેટ સેન્ટરમાં રૂ.25-25 હજારનું અનુદાન આપવામાં આવ્યું છે.

- text