મોરબી : મોરબીમાં જનજાગૃતિ અભિયાન હેઠળ ગુજરાત હાઉસીંગ બોર્ડ સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આયુર્વેદિક દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે કુલ 583 વ્યક્તિઓએ લાભ લીધો હતો. આ વિતરણ સવારના 9થી 12 વાગ્યા અને સાંજે 4થી 6 વાગ્યા સુધી કરવામાં આવે છે. વધુ વિગત માટે રજનીકાંત પડસુંબિયાનો મો.નં. ૯૮૯૮૮ ૯૪૯૪૧ પર સંપર્ક કરી શકાશે. મારી કર્મભૂમિ મોરબી જ્યાં સુધી કોરોનાની મહામારીમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી આયુર્વેદિક દવાઓ અવિરત નિ:શુલ્ક આપવામા આવશે, તેમ રજનીકાંત પડસુંબિયાએ યાદીમાં જણાવ્યું છે.