- text
મોરબી : માતૃભૂમિ વંદના ટ્રસ્ટ મોરબી દ્વારા શહીદ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે પરંતુ કોરોના મહામારીને પગલે આજે સાદગીપૂર્ણ ઉજવણી કરી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.
- text
માતૃભૂમિ વંદના ટ્રસ્ટ – મોરબી દ્વારા દરવર્ષે 23 માર્ચે અમર દિવસ (શહીદ દિવસ)ની ઊજવણી કરે છે. પણ હાલ કોરોનાના કારણે વિકટ પરિસ્થિતિમાં મોટા કાર્યક્રમનું આયોજન થઈ શકે નહી જેથી માતૃભૂમિ વંદના ટ્રસ્ટના રાષ્ટ્રભક્ત સ્વયંસેવક દ્વારા મોરબી આવેલી મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો ભીમરાવ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ તથા છત્રપતિ શિવાજીની પ્રતિમા ફુલહાર પહેરાવી સાદગીપૂર્ણ રીતે શાહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
- text