- text
મોરબી : ABVP શાખા દ્વારા ગાંધી ચોક ખાતે વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પઅર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત માતાની આઝાદી માટે ખુબ જ નાની ઉમરે મોતને હસતા મોઢે ગળે લગાવનાર અમર શહીદ વીર ભગત સિંહ, વીર સુખદેવ અને વીર રાજગુરૂની વીરતાને યાદ કરવામાં આવી હતી. જેમાં ABVP મોરબી શાખાના તેમજ દરેક કેમ્પસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)