લોકોમાં સલામતી અંગે જાગરૂકતા વધારવા માટે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઊજવવામાં આવે છે. 4 માર્ચના રોજ દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઊજવવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષા અઠવાડિયું દર વર્ષે 4 માર્ચથી 10 માર્ચ સુધી ઊજવાય છે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ 4 માર્ચ 1966ના રોજ 8000 સભ્યો સાથે મુંબઈમાં સોસાયટી એક્ટ અંતર્ગત સ્થપાઈ હતી. તેથી, દર વર્ષ 4 માર્ચને રાષ્ટ્રીય સુરક્ષા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ / સપ્તાહ ઉજવવામાં આવે છે. જેથી, લોકોમાં સલામતીની જાગૃતિ આવે. ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ એક સ્વાયત સંસ્થા છે. જેની સ્થાપના મુંબઈમાં 4 માર્ચ, 1966ના રોજ 'સોસાયટી એક્ટ હેઠળ 8000 સભ્યો સાથે કરવામાં આવી હતી. સલામતી, આરોગ્ય અને પર્યાવરણીય સહાયક સેવાઓ દ્વારા તેમને લાભ આપીને તેમના આર્થિક નુકસાન અને વિવિધ સમસ્યાઓને ઘટાડવા વાર્ષિક ધોરણે રાષ્ટ્રીય સુરક્ષા એ રાષ્ટ્રીય આંદોલન છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસ/સપ્તાહની ઉજવણીનું લક્ષ્ય વિવિધ આરોગ્ય અને પર્યાવરણીય હિલચાલ સહિતની સલામતી અંગે લોકોને જાગૃત કરવા માટે દેશભરમા રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ/સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. 2. કર્મચારીઓમાં સલામતી, આરોગ્ય અને પર્યાવરણીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને મોટા પાયે અભિયાનની ઉજવણી કરીને કંપનીના માલિકો દ્વારા સહભાગી અભિગમોને પ્રોત્સાહન આપવામાં આવે છે. 3. આ અભિયાન કાર્યસ્થળ પર કર્મચારીઓની જરૂરિયાત, કાનૂની માંગણીઓ સાથે સેલ્ફ ડિસિપ્લિન અને વ્યવસાયિક એસ.એચ.ઈ. (સલામતી, આરોગ્ય અને પર્યાવરણીય) પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે. 4. નોકરીદાતાઓ અને અન્ય કર્મચારીઓને તેમની કાયદાકીય જવાબદારીઓની યાદ અપાવીને કાર્યસ્થળની સલામતીને મોટા પાયે પ્રોત્સાહન આપવામાં આવે છે. 5. કાર્યસ્થળ પરના લોકોમાં એસ.એચ.ઇ પ્રવૃત્તિઓ વિકસાવવા અને તેને મજબૂત બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ/સપ્તાહ છે.