વાંકાનેર : વાંકાનેરના પેડકમાં રહેતા નાથાભાઇના પત્ની પભીબેન (ઉ.વ. 32)એ ગઈકાલે તા. 13ના રોજ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ થયેલ છે. ઉલ્લેખનીય છે કે પભીબેનનો લગ્નગાળો નવ વર્ષનો છે. તેને સંતાનમાં એક દિકરો તથા બે દિકરીઓ છે. હાલમાં વાંકાનેર સીટી પોલીસ મૃતકના અંતિમ પગલાનું કારણ જાણવા તપાસ કરી રહી છે.