મહેન્દ્રનગરના માજી સરપંચના પિતા દ્વારા રામમંદિર નિર્માણમાં રૂ. 55 હજાર અર્પણ કરાયા

- text


ગુર્જર પ્રજાપતિ ધૂન-ભજન મહિલા મંડળ દ્વારા રૂ. 11 હજારનું અનુદાન

મોરબી : શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થા દ્વારા નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત અયોધ્યા રામમંદિર માટે ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જેમાં અનેક રામભક્તો યથાશક્તિ ઉત્સાહભેર આર્થિક યોગદાન આપી રહ્યા છે.

આ અભિયાનમાં સહભાગી બનવા માટે મહેન્દ્રનગર ગામના માજી સરપંચ અશ્વિનભાઈ બોપલિયાના પિતાશ્રી અંબારામભાઇ મોહનભાઈ બોપલિયાના હસ્તે રૂ. 55,555 રામમંદિર નિર્માણ કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યા છે. તેમજ મોરબીના ગુર્જર પ્રજાપતિ ધૂન-ભજન મહિલા મંડળ દ્વારા શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં રૂ. 11,111નું અનુદાન કરવામાં આવેલ છે.

- text

- text