- text
મોરબી : ઉત્તરાખંડના ચમોલી કુદરતી આપદામાં ફસાયેલા ગુજરાતી યાત્રિકોને મદદરૂપ બનવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલિક ત્યાંના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત શરૂ કરી છે.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ઉત્તરાખંડ ના મુખ્યમંત્રીશ્રી સાથે ટેલીફોનીક વાત ચીત કરીને ઉત્તરાખંડના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકો ને તત્કાલ મદદ અને બચાવ રાહત તેમજ ઇજાગ્રસ્તો ને સારવાર નો પ્રબંધ કરવા ની વ્યવસ્થા માટે સહાય રૂપ થવા વિનંતી કરી છે
- text
વધુમાં મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ સંદર્ભમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ કાર્યવાહી હાથ ધરવા પણ સૂચનાઓ આપી હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે.
- text