ટંકારા ધારાસભ્યના નિવેદન મામલે વિવાદનો સુખદ અંત

- text


યુવા કોંગ્રેસ અગ્રણીની મધ્યસ્થી ફળી

મોરબી : રાજા રજવાડા અંગે ટંકારા વિસ્તારના ધારાસભ્યના વિવાદિત નિવેદન બાદ કરણી સેના દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવતા આ વિવાદમાં યુવા કોંગ્રેસ અગ્રણીની મધ્યસ્થિ બાદ વિવાદનો સુખદ અંત આવ્યો છે.

રાજપૂત કરણી સેના અને ધારાસભ્ય લલીતભાઈ વચ્ચે વિવાદ થતા જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ મધ્યસ્થી કરી તેમના સાથે રાજપૂત સમાજના આગેવાન અને કોંગ્રેસ અગ્રણી મહેન્દ્રસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ જાડેજા, શક્તીપાલસિંહ ચુડાસમા, કુલદીપસિંહ જાડેજા, મયુરસિંહ ઝાલા સાથે વાતચીત બાદ વિવાદનો અંત આવ્યો હતો અને ધારાસભ્યએ સ્પષ્ટતા કરી દિલગીરી વ્યક્ત કરી હતી અને શબ્દોનું સાચું અર્થઘટન કરી રજવાડાઓના ભાવી ભૂતકાળને યાદ કરી પ્રસંશા કરતા સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો છે.

- text

- text