મોરબીના બાળક દ્વારા રામમંદિરમાં દાન આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

- text


મોરબી : સામાન્ય રીતે, બાળકો જન્મદિવસની ઉજવણી નિજાનંદ માટે કરતા હોય છે. ત્યારે મોરબીના એક બાળકે રામમંદિર નિર્માણ કાર્ય માટે દાન આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા રામમંદિર માટે દેશભરમાંથી દાનની સરવાણી વહી રહી છે. ત્યારે મોરબીમાં રહેતા જયેશભાઈ કાલોલાના પુત્ર નમ્રના 10મા જન્મદિવસ નિમિત્તે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર સંસ્થાને રૂ. 1000નું અનુદાન આપવામાં આવ્યું હતું. આમ, નમ્રએ નિધિ સમર્પણ અભિયાનમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.

- text

- text