- text
મોરબી : દસ્તાવેજોની વેલીડીટી ૩૧ માર્ચ-૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની એડવાઇઝરી મુજબ તા. ૦૧/૦૨/૨૦૨૦ મુદત વીતી ગયેલા (એક્સપાયર ) દસ્તાવેજો તા.૩૧/૦૩/૨૦૨૧ સુધી એન્ફોર્સમેન્ટ પૂરતા માન્ય રાખવા જણાવવામાં આવ્યુ છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન એન્ફોર્સમેન્ટ અધિકારી-કર્મચારીઓએ આ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે. તેમ વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવાયુ છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)