વાંકાનેર : ઉછીના પૈસા માંગવા મામલે વેપારી ઉપર હુમલો

- text


ચાર શખ્સોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર : વાંકાનેરમાં દુકાને જઈ ઉછીના પૈસા માંગવા મામલે ચાર શખ્સોએ વેપારી ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ચાર શખ્સોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદના આધારે ચાર આરોપીઓ.સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

મારામારીના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના માટેલ મંદીર પાસે રહેતા વેપારી જયદીપભાઇ હેમંતભાઇ કુણપરા (ઉ.વ. ૨૮) એ આરોપીઓ બદીયો કેશરભાઇ, સુનીલ, અનીલ, નીકો સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૫ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં માટેલ રોડ એરકોન સીરામીક પાસે ચાંમુડા મોબઇલની દુકાને એક આરોપીએ જઇ ઉછીના પૈસા માગતા ફરીયાદીએ ના પાડતા આરોપીએ ફરીયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો. ત્યારે સાહેદ હીરાભાઇ વચ્ચે પડી ફરીયાદીને બચવ્યા હતા. પણ એટલી વારમા અન્ય આરોપીઓ આવી જતા આરોપીઓએ હાથમાં રહેલ પાઇપ વડે ફરીેયાદીને મારમારી ફરીયાદીને શરીરે મુંઢ ઇજાઓ કરી જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text