ટંકારામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલા ખેડૂતો માટે પાકના મૂલ્યવર્ધન પર તાલીમ યોજાઈ

- text


 

ટંકારા : મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ટંકારામા ખેડૂતો માટે ખેતીના મુલ્યવર્ધન પર તાલીમ યોજવામાં આવી હતી. જેમાં વૈજ્ઞાનિક ડૉ.હેમાંગીબેન ડી.મહેતાએ ખેડુત બહેનોને ખેતીપાકોનું મુલ્યવર્ધન કરવાની તાલીમ આપી હતી. સાથે ન્યુટ્રીશન ફાર્મ બનાવવા બિયારણ આપ્યું હતું. આ વેળાએ ખેડુતોને કિસાન બીલથી થતા ફાયદા પર માહિતી પણ આપવામાં આવી હતી. તથા ખેડુત બહેનોને ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યુ હતું.

- text