ભટાસણા પરીવારના સંગઠનને મજબૂત કરવા મહત્વની બેઠકનું આયોજન કરાયું

- text


દુર દરાર વ્યવસાય કે નોકરી અર્થે વસતા કુટુંબ ભાયુ ભેગા મળીને કરી ચર્ચા આગામી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજન કર્યું હતું

ટંકારા : માળીયાના નાના દહીસરા ગામે આજે ભટાસણા પરીવાર નુ સ્નેહ મિલન અને સંગઠન ને વધુ મજબૂત કરવા તથા દેશ વિદેશ વસતા કુટુંબી એક મેક થી જોડાઈ શકે એ માટે આગોતરૂ આયોજન કરવા હેતુ થી આજે કુળદેવી માં બહુચરાજી મંદિર ના પટાંગણમાં બેઠક મળી હતી.

બેઠક મા આગામી દિવસોમાં નવ યુવાનો ને બિઝનેસમા સ્પોટ અને નોકરી ડોક્ટર કે વકિલ ઈજનેર ની માહીતી જરૂર હોય કે આર્થિક સ્થિતિ નબળી હોય એને મદદ કરવા અનેક મુદા રજુ કરી એની અમલવારી કરવા તથા આગામી ચૈત્ર માસમાં શેડલા ગામે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ચર્ચા કરી હતી. મિટીંગ અંતે તમામે પ્રિતી ભોજન લીધું હતું.

- text

- text