રફાળેશ્વર મંદિરેથી હાઇવે સુધીના માર્ગ પર વરસાદી પાણી અને ખાડાઓના લીધે ટ્રાફિકજામ

- text


રોડ ઉપર પાણી ભરાયેલા અને ખાડાઓ પડવાથી વાહનચાલકો પરેશાન

મોરબી : મોરબીમાં વરસાદના કારણે અનેક માર્ગોની હાલત ખરાબ થઈ ગઈ છે. જેમાં મોરબીના રફાળેશ્વર ગામના રોડ હાલત પણ કપરી બની ગઈ છે. આ રોડ ઉપર વરસાદના પાણી ભરાયા છે અને રોડ ઉપર ઠેરઠેર ખાડા પડી ગયા હતા. જેથી, આજે ટ્રાફિકજામ સર્જાયો હતો.

- text

મોરબીના રફાળેશ્વર રોડ ઉપર વરસાદના પાણી ફરી વળ્યા છે. તેમજ આ રોડ ઉપર ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. જેથી, વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે રફાળેશ્વર રોડ ઉપર વરસાદી પાણી અને ખાડાને કારણે ટ્રાફીકજામ સર્જાયો હતો. જેથી, વાહનોની કતારો લાગી હતી. સવારે કામ અર્થે નીકળેલા અનેક લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. જેથી, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. જો કે રફાળેશ્વર રોડ ઉપર વરસાદી પાણી અને ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડતી હોય સંબધિત તંત્ર આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

- text