મોરબીમાં ડો. આંબેડકર આવાસની વર્ષ 2020-21ની અરજીને મંજૂરી આપવા રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચિખાલિયા દ્વારા મોરબીમાં ડો. આંબેડકર આવાસની વર્ષ 2020-21ની અરજીને મંજૂરી આપવા ગાંધીનગર ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે અનુસૂચિત જાતિ માટેની ડૉ. આંબેડકર આવાસ યોજનાની વર્ષ ૨૦૨૦-૨૧ની નવી અરજીઓ મળેલ છે. પરંતુ હાલ નવી અરજીઓને મંજૂરીને બદલે જૂની અરજીઓ મંજુર કરવામાં આવી છે. અને તેના બીજા અને ત્રીજા હપ્તાની રકમ ચુકવવામાં આવે છે અને નવી અરજીઓ મંજુર કરવા માટે હાલ મૌખિક રીતે મુલત્વી રાખવાનું જણાવેલ છે. જેથી, ડૉ. આંબેડકર આવાસની નવી અરજીઓને મંજૂરી આપવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

- text