વાંકાનેર, હળવદ, ટંકારા : સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા વાંકાનેર, હળવદ તથા ટંકારા મામલતદારને અનુસુચિત જાતિ પર થયેલા અન્યાય મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમ નર્મદા જિલ્લામા સરદાર પ્રતિમા અને પ્રવાસનના નામ પર કેવડીયા અને ગુરુડેશ્વર વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અનુસુચિત જનજાતિ સમાજ પર થતા અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ વાંકાનેર, હળવદ તથા ટંકારાના સભ્યો દ્વારા જે તે શહેરના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.