મોરબી જિલ્લામાં મેલેરિયા નાબુદી અભિયાન અંતર્ગત કરાઈ કામગીરી હળવદ : મેલેરીયા મુક્ત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મેલેરીયા નાબુદી માટે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મોરબી જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે મળીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્થાનિક કક્ષાએ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુનાદેવળુયા દ્વારા પીએચસી ખાતેના તમામ ગામોમાં મેલેરિયા મુક્ત-2022 અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં વરસાદને લીધે મેલેરિયા ડેન્ગ્યુ, તેમજ ચિકનગુનિયા જેવા રોગો ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે. આ રોગોને ફેલાતા અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયાના હેથળ આવતા તમામ ગામોમાં રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. રોગચાળો ન ફેલાય તે માટે આ તમામ ગામોમાં પોરાનાસક કામગીરી જેવી કે ગપી માછલી મુકવાની કામગીરી, એબેટ કામગીરી, બી.ટી.આઈ. કામગીરી, બળેલા ઓઇલ છંટકાવની કામગીરી તેમજ જંતુનાશક દવા છંટકાવની કામગીરી જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ડૉ. જે. એમ. કતીરા, જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ. સી. એલ. વારેવડિયા અને મેડિકલ ઓફિસર ડૉ. નિશાએ પાડલીયા તેમજ તમામ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં હતી.