મોરબી : ટ્રાફિક જવાનોએ એપલનો આઈફોન મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી

- text


મોરબી : હાલ મોરબીમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે અનેક મેડિકલ, પોલીસ સહીત અનેક કર્મીઓ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે. લોકોની બિનજરૂરી અવરજવર ટાળવા અને લોકડાઉનનો કડકપણે અમલ થાય તે માટે ટ્રાફિક જવાનો પણ ઉનાળાના તાપમાં ખડેપગે પોતાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે મોરબીમાં ટ્રાફિક જવાનોએ એપલનો મોબાઈલ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

- text

મોરબીના ઉમિયા સર્કલ પાસે ફરજ નિભાવી રહેલા ટ્રાફિક પોલીસ પ્રદીપ કે. બાવરવા તથા ભરતભાઇ ગોવિંદભાઇ સોલંકીને એપલ કંપનીનો આઈફોન રસ્તા પરથી મળી આવ્યો હતો. તેઓએ મોબાઈલના મૂળ માલિકની શોધખોળ કરી હતી. માલિકની ખરાઈ કાર્ય બાદ રામકો બંગલો સામે ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અસ્મિતાબેન પ્રભુભાઈ વાંસજાળીયાને નિઃસ્વાર્થ ભાવે મોબાઈલ પરત કર્યો હતો. આમ, ટ્રાફિક જવાનોએ પ્રામાણિકતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

- text