વાંકાનેરના SMP ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડાયું

- text


વાંકાનેર : વાંકાનેરના SMP ગ્રુપ દ્વારા કોઈપણ જાતના ભેદભાવ વિના ‘ભુખ્યાને ભોજન’ આપવાનું કાર્ય અવિરતપણે ચાલુ છે. પરંતુ હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં તમામ હોટલો બંધ હોવાથી બપોરના ભોજનની વ્યવસ્થા થઇ શકે તેમ નથી. જયારે સાંજનું ભોજન ઘરે બનાવીને જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડવામાં આવશે. જેની નોંધ લેવા SMP ગ્રુપની યાદીમાં જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે SMP ગ્રુપ દ્વારા ગ્રીનચોકના દેવીપૂજક સમાજના આશરે 20થી વધુ પરિવારોને ટિફિન પહોંચાડવાની જવાબદારી લેવામાં આવી છે.

- text