- text
મોરબી : કોરોના વાયરસને પગલે મોરબીના આલાપ રોડ પર ખોડિયાર પાર્ક સોસાયટીમાં આવેલ ધર્મભક્તિ પેલેસમાં તથા મહેન્દ્રનગર પાસે આવેલા ક્રાંતિજયોતિ પાર્કમાં ગેટ બહાર સૂચના લગાવીને બહારની વ્યક્તિએ સોસાયટીની અંદર પ્રવેશવાની સખત મનાઈ કરવામાં આવી છે. તેમજ સોસાયટીના સભ્યોએ જરૂરી કારણ વિના બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
- text