મોરબી : સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા યોજાનારા કાર્યક્રમો રદ

- text


મોરબી : હાલમાં ભારત પર કોરોના વાયરસનો કહેર છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયેલા લોકડાઉનમાં સહયોગ આપવા માટે મોરબીના સામાં કાંઠે હાઉસીંગ બોર્ડ ખાતે આવેલ સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા આગામી તારીખ 8/4/2020 ના રોજ હનુમાન જ્યંતી નિમિતે યોજાનાર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના કારણે હનુમાન જ્યંતીના દિવસે જે મારુતિ યજ્ઞ તથા મહાપ્રસાદ તથા રાત્રે ધૂન-ભજન આ કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. જેની ભાવિકોએ નોંધ લેવા માટે સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા જણાવવામાં આવેલ છે.

- text