- text
હળવદ : હળવદમાં હોમકોરેન્ટાઈલ પર રાખેલા ૧૯ લોકો બહાર નીકળી જતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે.જેથી આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ વિભાગ દ્વારા તમામ લોકોને ઘરે જ રહેવાની સૂચના આપી કાયદાનો ભંગ કરનાર પર યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
હળવદ તાલુકાના રાતાભેર ગામે દિલ્હી ખાતેથી ત્રણ દિવસ અગાઉ પોતાના વતન ૧૯ લોકો આવ્યા હતા જેથી સરકાર ની ગાઈડલાઈન મુજબ તમામ લોકોને ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ૧૪ દિવસ માટે હોમકોરેન્ટાઈલ પર રખાયા હતા પરંતુ આજે હોમકોરેન્ટાઈલ પર રહેલા લોકો ઓચીંતા ઘર બહાર નીકળી તેમના કુળદેવીના મંદિરે દર્શન માટે જતાં રહેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જેથી આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ વિભાગ દ્વારા તમામ લોકોને ઘરે જ રહેવાની સૂચના આપી કાયદાનો ભંગ કરનાર પર યોગ્ય કાર્યવાહી કરવાનો.પણ નિર્દેશ આપ્યો છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)