મોરબી : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર રાજ્ય સરકાર નોવેલ કોરોના વાઈરસ (Covid-19]ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી જાહેર હિતમાં તમામની સ્વાસ્થય - સુખાકારીને ધ્યાનમાં લઈ, રાજ્ય સરકારના વહીવટી વિભાગો, ખાતાના વડાઓ, અન્ય સંલગ્ન કચેરીઓએ આવશ્યક ન હોય તે સિવાય તેમજ સંબંધિત પદાધિકારી / અધિકારીની પૂર્વ મંજૂરી વગર મુલાકાતીઓએ જે તે કચેરી / સંકુલમાં પ્રવેશ તા. 29/03/2020 સુધી મુલતવી રાખવા જણાવવામાં આવેલ છે.