મોરબી : હાલ કોરોના વાયરસે ભારે ઉત્પાત મચાવ્યો છે. તેથી, કોરોનાથી બચવા માટે સરકાર અને જાગૃત લોકો દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ બજરંગ મંદિરે ગોપી વિચારધારા ટ્રસ્ટ અને પોસ્ટ ઓફીસ દ્વારા આજે કોરોનાથી બચવા માટે ગ્રામજનોની તંદુરસ્તી વધારવા માટે ખાસ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉકાળા વિતરણનો મહેન્દ્રનગર ગામના મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.