શહીદ ભગતસિંહને ભારતરત્ન આપવાની માંગ સાથે નીકળેલી સાયકલ યાત્રાનું 15મીએ મોરબીમાં આગમન

- text


સોમનાથથી દિલ્હી જતી સાયકલ યાત્રાનું વિવિધ સંસ્થાઓ દ્વારા કરાશે સ્વાગત

મોરબી : વીર શહીદ ભગતસિંહને ભારત રત્ન આપવાની માંગ સાથે સોમનાથથી દિલ્હી સુધીની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા આગામી તા.15ના રોજ મોરબી પહોચવાની છે. ત્યારે અહીં વિવિધ સંસ્થાઓ દ્વારા સાયકલયાત્રાનું સ્વાગત કરવામાં આવનાર છે.

- text

મોરબીની ક્રાંતિકારી સેના, વાત્સલ્ય ન્યુઝ, માતૃભૂમિ વંદના ટ્રસ્ટ, યંગ ઇન્ડિયા ગ્રુપ અને યુનાઈટેડ યુથ જીવદયા ગ્રુપ દ્વારા આ સાયકલયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ સાયકલયાત્રા ભક્તિનગર સર્કલથી શનાળા રોડ, રામ ચોક, સાવસર પ્લોટ, સરદાર રોડ, નહેરુગેટ, ગ્રીન ચોક, દરબાર ગઢ, મહેન્દ્રા ડ્રાઈવ રોડ, પાડા પુલ,એલ.ઈ કોલેજ રોડ, સૌ ઓરડી, નેશનલ હાઈવે, ત્રાજપર ચાર રસ્તા, મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, ગેસ્ટ હાઉસ રોડ, નહેરુગેટ, ગાંધી ચોક, નરસંગ ટેકરી, સ્વચ્છતા રોડ થઈને સરદાર પટેલ સ્ટેચ્યુ નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થશે. રૂટમાં આવતા તમામ સ્ટેચ્યુ પર ફુલહાર પણ કરવામાં આવશે.

- text