મોરબીના આહીર કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલનનું આયોજન

- text


મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સભ્ય પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન આગામી તા. 5 જાન્યુઆરી, 2020ના રોજ રવિવારે સવારે 9 કલાકે રામધન આશ્રમ, મહેન્દ્રનગર રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. તેમજ બપોરે 12 કલાકે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં બાળકો માટે સંગીત ખુરશી, મેમરી ટેસ્ટ, લીંબુ ચમચી, ચોકલેટ વીણ સહિતની સ્પર્ધાઓ રાખવામાં આવેલ છે. કે.જી.થી ધો. 10માં અભ્યાસ ચાલુ હોય તેવા સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક બાળકોએ સવારે 9 કલાક સુધીમાં નામ નોંધાવવાનું રહેશે. ત્યારબાદ તુરંત રમત શરુ કરવામાં આવશે. આ તકે મંડળ દ્વારા સભ્ય પરિવારોને આમંત્રણ આપવામાં આવેલ છે.

- text