મોરબીમાં 23મીએ બ્રહ્માકુમારી ઉષાદીદીનું તનાવ મુક્ત જીવન અંગે વક્તવ્ય

- text


મોરબી : પ્રવર્તમાન દોડદામ ભરી જીવનશૈલીમાં દરેક માણસ આધિ વ્યાધિ અને ઉપાધિનો શિકાર બની ગયો છે. વ્યવસાયમાં ગળાકાપ હરિફાઈને કારણે મોટાભાગના માણસો તનાવ ગ્રસ્ત બની ગયા છે.આજે 21મી સદીમાં તમામ ટેકનોલોજી અને સુખ સુવિધાથી સંપન્ન હોવા છતાં લોકો માનસિક તાણ અનુભવે છે અને જેથી સમાજ મનોરૂગણાંલય બની જાય તેવી પરિસ્થિતિ છે.ત્યારે લોકોનું માનસિક તાણ દૂર થાય અને રૂટિન કર્યો પુરા આત્મવિશ્વાસથી કરી શકે અને જીવનમાં સદાય સુખ શાંતિ રહે તે માટે મોરબી બ્રહ્માકુમારી પરિવાર દ્વારા આગામી તા.23ને સોમવારે રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન પટેલ સમાજ વાડી શનાળા રાજપર રોડ મોરબી ખાતે રાજયોગીની બ્રહ્માકુમારી ઉષાદીદીના તનાવ મુક્ત જીવન અંગે વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે.જેનો મોરબી શહેરના વધુને વધુ લોકોને લાભ લેવા મોરબી બ્રહ્માકુમારી ચંદ્વિકાબેન દ્વારા હાર્દિક નિમત્રણ પાઠવામાં આવ્યું છે.

- text