લીલાપરમાં પેપરમિલ કારખાનામાં દાઝી ગયેલ પરપ્રાંતીય યુવકનું સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામમાં આવેલ રાધેશ્યામ પેપરમીલ કારખાનામાં કામ કરતા દાઝી ગયેલ પરપ્રાંતીય યુવકનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત થયું હતું.

- text

મોરબી તાલુકાના લીલાપર ગામમાં આવેલ રાધેશ્યામ પેપરમીલ કારખાનામાં કામ કરતા અખીલેશ ગૌલાલ વર્મા (ઉ.વ. ૨૦, હાલ રહે. રાધેશ્યામ પેપરમીલ, લીલાપર ચોકડી, તા.જી.મોરબી, મુળ રહે. ગડોલીગામ મમસી, તા. રાજાપુર, જી. ચીત્રકુટ, ઉતરપ્રદેશ) ગત તા.૨૨/૧૧/૨૦૧૯ના રાત્રીના સમયે નવેક વાગ્યાની આસપાસ રાધેશ્યામ પેપરમીલમાં કામ કરતી વખતે કોઇ કારણોસર અકસ્માતે પગ સ્લીપ થઇ જતા ગરમ પણીની ટાંકીમાં પડી જતા દાઝી ગયેલ હતા. પ્રથમ સારવાર મોરબીની ક્રિષ્ના હોસ્પીટલમાં લઇ વધુ સારવાર માટે રાજકોટ સ્ટરલીંગ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તા. ૨૯/૧૧/૨૦૧૯ના મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે ગઈકાલે તા. 4 ડિસેમ્બરના રોજ અક્સમાતે મોતનો બનાવ દાખલ કર્યો હતો. આ બનાવમાં તપાસ HC એચ. એમ. મકવાણાને સોંપવામાં આવી હતી.

- text