- text
મોરબી : ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ એ પ્રચલિત સૂત્રને સાર્થક કરતો પ્રસંગ મોરબીમાં બન્યો છે. મોરબીમાં વસિયાણી પરીવાર એ શ્રીમદ ભાગવત કથાની પુર્ણાહુતી અવસરે રક્તદાન કેમ્પ યોજીને પ્રભુ ભક્તિની સાથે માનવ સેવાનું કાર્ય કર્યું છે. મોરબીની ઉમા ટાઉનશીપમાં રતિલાલ મગનભાઈ વસિયાણી પરીવાર તરફથી પિતૃમોક્ષ માટે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની આજે પૂર્ણાહુતિ નિમિત્તે ઉમા ટાઉનશીપ મહિલા મંડળ તથા યુવક મંડળ દ્વારા HDFC બેંકના સંયુક્ત ઉપક્રમે સંસ્કાર બ્લડ બેંક, GIDC, મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બહોળી સંખ્યા રક્તદાન કરવામાં આવ્યું હતું.
- text
- text