હળવદ : મહિલાના આપઘાત કેસમાં લાશનું પીએમ કરાવ્યા વગર અંતિમક્રિયા કર્યાનો ગુનો નોંધાયો

- text


પતિ અને પુત્ર સામે ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઇ

હળવદ : હળવદ તાલુકાના માનસર ગામે મહિલાએ અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધાના પ્રકરણમાં મૃતકના ભાઈની ફરિયાદના આધારે મહિલાના પતિ અને પુત્ર સામે ત્રાસ આપી મરવા મજબૂર કર્યાનો તથા લાશનું પીએમ કરાવ્યા વગર બારોબાર અંતિમક્રિયા કરી નાખી હોવાનો ગુનો નોંધાયો છે.પોલીસે બન્ને આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના માનસર ગામે રહેતા શારદાબેન ઉ.વ.48 નામની.મહિલાએ ગત તા.6 ના રોજ અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. બાદમાં આ બનાવ અંગે મૃતકના ભાઈ ભગવાનજીભાઇ ટપુભાઇ સુરેલા રહે.પંચમુખી ઢોરો, તા.હળવદએ મૃતકના પતિ કાનજીભાઇ પરસોતમભાઇ કોળી અને પુત્ર કીશનભાઇ કાનજીભાઇ કોળી રહે બંને માનસર તા.હળવદ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની બેન શારદાબેન ઉ.વ 48 વાળીને તેના પતિ તથા દિકરો કિશન અવાર નવાર માર મારી શારીરીક તથા માનસીક ત્રાસ આપતા હોય જેથી મરવા મજબુર કરતા કેરોસીન છાંટી સળગી જતાં તેણીનું મોત થયું હતું. તેમજ મૃતકની લાશનું પી.એમ. કરાવ્યા વગર અગ્ની સંસ્કાર કરી પુરાવાનો નાશ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. હળવદ પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરો છે.

- text