મસ મોટા ખાડા આપી રહ્યા છે ભ્રષ્ટાચાર થયો હોવાના સજ્જડ પુરાવા મોરબી: મોરબીના નવલખી ફાટક પાસેથી કુબેર ફાટક સુધી નવો રોડ તથા પુલ બનતા લોકોએ કાયમ ઉઠતી રહેતી ધુળની ડમરીઓથી હાશકારો અનુભવ્યો હતો. નવો રોડ બન્યા બાદ વરસાદના કારણે 1 મહિનો પણ રોડ ટકીના શકતા આ કામમાં ભ્રષ્ટચાર થયો હોવાની લોકમુખે ચર્ચા જાગી છે. તંત્ર દ્વારા રોડને આખરી ઓપ આપવાની તૈયારીના ભાગ રૂપે ડીવાઈડરમાં કલરકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રોડમાં અનેક જગ્યા પર ગાબડા પડી જતા વાહનચાલકો તથા રાહતદારીઓને ફરી એકવાર હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર સ્કુલ આવેલી હોય વિદ્યાથીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર મસ મોટા ગાબડા પડી જવાને કારણે વાહનોની ગતિ અવરોધતા ટ્રાફીક જામની સમસ્યાં રોજની થઈ પડી છે. ત્યારે કામમાં કચાશ રાખનાર જવાબદારો સામે તંત્ર હવે કેવા પગલાં ભરે છે તેની સામે લોકોની મીટ મંડાઈ છે.