મોરબી : મોરબીના પુજા ગૃપ દ્વારા ગઈકાલના રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ થી વધુ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. મોરબીના પુજા ગૃપે આજે વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં પુજા ગ્રુપના ના અભિ ફુલતરીયા ,મિલન ફુલતરીયા તથા ચિરાગ ફુલતરીયા દ્વારા આ અભિયાનમાં ૫૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ સાથે તમામ વૃક્ષોની જાળવણી કરવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો. ઉપરાંત આગામી દિવસોમાં હજુ વધુ વૃક્ષો વાવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne