મોરબી : ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા એકઠો કરેલો ૧.૨લાખનો ફાળો શહીદોના પરિવારને રૂબરૂ અપાશે

- text


યુવા આગેવાન અજય લોરીયાની આગેવાનીમાં કાર્યક્રરોની ટિમ શહીદોના પરિવારને રૂબરૂ ફાળો આપવા રવાના

મોરબી : તાજેતરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના પરિવારના કલ્યાણાર્થે ભરતનગર ગામે મોરબીની ચિત્રા હનુમાન ધૂન મંડળ દ્વારા ધુનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક લાખ બે હજાર રૂપિયાનો ફાળો એકઠો થયો હતો જે યુવા આગેવાન અજય લોરીયાની આગેવાનીમાં ઉત્તરાખંડના ત્રણ શહીદોના પરિજનોને તેમજ રાજસ્થાનના પાંચ શહીદોના પરિજનોને રૂબરૂ અર્પણ કરવા માટે મંડળીના સભ્યો રવાના થયા છે. ચિત્રા હનુમાન ધૂન મંડળી, ગૌ સેવા તેમજ સામાજિક સેવાર્થે કાર્ય કરે છે. જેમાં ટી.સી.ફુલતરીયા, ચંદુભાઈ કડીવાર, ભીખાભાઈ લોરીયા તેમજ ચંદ્રેશભાઈ અઘારા સહિતના સદસ્યો કાર્યરત છે.

- text