મોરબીમાં રામનવમીની શોભાયાત્રા નિમતે 31મીએ મીટીંગ યોજાશે

- text


મોરબી : મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ નજીક આવી રહ્યો છે.ત્યારે ભગવાન રામના જન્મદિનના વધાવવા રામભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જોકે વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા દરવર્ષે રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આગામી સમયમાં રામનવમી નિમિતે યોજાનાર શોભાયાત્રાના આયોજન અંગે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આગામી તા.31 માર્ચના રોજ રાત્રે 8 વાગ્યે રામમહેલ મંદિર દરબાર ગઢ મોરબી ખાતે રામનવમીની શોભાયાત્રા અંગેની મીટીંગ યોજાશે.આ મીટીંગમાં તમામ હિન્દૂ સંગઠનોના આગેવાનો અને કાર્યકરોને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે.શોભાયાત્રા માટે સંપર્ક કમલભાઈ દવે ( બજરંગદળ પ્રમુખ)મો.95956 88888 કમલેશભાઈ બોરીચા ( શિવસેના પ્રમુખ)મો.92281 17617

- text