ટંકારામાં જમવા બાબતે માથાકૂટ થતા પરણીતાં ઘર છોડી ચાલી ગઈ

- text


અમરાપરમાં સગીરા ભાગ લેવા ગઈ અને ગુમ થતા ફરિયાદ

ટંકારા : ટંકારામાં જમવા બાબતે માથાકૂટ થતા પરણીતાં ઘર છોડી ચાલી જતા પરિવારજનોએ ગુમસુધા નોંધ કરાવી છે તો અમરાપર ગામે સગીરા ભાગ લેવા જવાનું કહી લાપતા બનતા પોલીસને જાણ કરાઈ છે.

ટંકારાના ટપુભાઇ છગનભાઇ જાદવ ઉવ ૪૮ ધંધો- મજુરી રહે. ઉગમણાનાકા વણકરવાસ તા ટંકારા વાળાએ પોલીસમાં ગુમસુધા નોંધ કરાવી તેમના પત્ની
ગીતાબેન ટપુભાઇ જાદવ અનુ.જાતિ ઉ.૪૨
શરીરે મધ્યમબાંધો વાને શ્યામવર્ણ નાકમા સોનાનો દાણો તથા કાનમાં ધાતુના ખોટા બુટીયા તથા પગમાં ચાંદીની જાંજરી પહેરેલ છે. ઉચાઇ આસરે ૫ ફુટ ગુજરાતી/હિન્દી ભાષા જાણે છે, તેઓ સાથે જમવા બેઠેલ હતા ત્યારે બોલાચાલી થતા જોરજપાટ કરતા લાગી આવતા ઘરે કોઇને જાણ કર્યા વગર ટંકારા ઉગમણાનાકા વણકરવાસ ખાતેથી ચાલી ગયેલ હતા.

- text

બીજા કિસ્સામાં રશ્મિતાબેન પ્રવિણભાઇ ચાવડા, ઉવ ૧૬ વર્ષ ૧૧ મહિના વાળા, શરીરે મધ્યમબાંધો વાને ઘંઉવર્ણી નાકમાં સોનાની નથડી અને કાનમાં સોનાની કડીઓ પહેરેલ છે. ઉચાઇ આસરે ૫ ફુટ દુધીયા કલરનો ઝભ્ભો પહેરેલ છે. ગુલાબી કલરની ચોરણી પહેરેલ છે. ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. ધોરણ-૯ સુધી ભણેલ છે.તેઓ ગઈકાલે અમરાપર ગામે ઘરેથી દુકાને ભાગ લેવાનુ કહીને કોઇને જાણ કર્યા વગર પોતાની મેળે કંયાક જતી રહેલ હોવાનું ગુમસુધા નોંધમાં જાહેર થયું છે.

- text