મોરબીમાં રાહત દરે અડદિયાનું વિતરણ

- text


વેપારી મિત્ર મંડળ દ્વારા તા.6 ડિસેમ્બર વિતરણ કરાશે

મોરબી : મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા તા.6 ડિસેમ્બરને ગુરુવાર ના બપોરે 3:00 થી 5:00 કલાકે લોહાણા મહાજન વાડી, સુધારાવાળી શેરી,મોરબી શુદ્ધ ઘીના અડદિયા તેમજ શુદ્ધ ઘીનો બદામ પાક તેમજ શુદ્ધ ઘીનો ગુંદર પાક બોક્સ પેકિંગમાં જાહેર જનતાના લાભાર્થે તદન વ્યાજબી ભાવે બુકિંગ કરી વિતરણ કરવામાં આવશે.જેનો લાભ લેવા ઇચ્છતા લોકોએ બુકિંગ કરવા માટે તારીખ.30 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધી (શુક્રવાર થી સોમવાર) સવારે 10 થી રાત્રે 8 કલાક સુધી (1) ઠા.દલિચંદ જેરામભાઈ, પરાબજાર મોરબી (2) જયવિન પ્રોવિજન સ્ટોર (ભગત) ગાંધીબજાર ગ્રીન ચોક મોરબી (3) ચંદન કિરાણા સ્ટોર્સ, સામાકાંઠા, કુળદેવી પાનની સામે મોરબી 2. ખાતે સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text

- text