મોરબીના ઠાકોરજી મંદિરે શુક્રવારે શિવધુન

- text


પ્રજાપતિ યુવા સંગઠન અને ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સમુહલગ્ન સમિતિનું આયોજન

મોરબી : મોરબીના ઠાકોરજી મંદિર ખાતે આવતીકાલે શુક્રવારે પ્રજાપતિ યુવા સંગઠન અને ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સમુહલગ્ન સમિતિ દ્વારા શિવધુનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- text

પ્રજાપતિ યુવા સંગઠન અને ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સમુહલગ્ન સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવધુનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવધૂન આવતીકાલે તા. ૩૧ને શુક્રવારના રોજ રાત્રે ૯ કલાકે ઠાકોરજી મંદિર, કુંભાર શેરી, સ્ટેશન રોડ ખાતે યોજાશે. જેમાં અશોકભાઈ ભાયાણી શિવ ધૂન, ભજન અને સ્તુતિ રજુ કરશે. વધુ વિગત માટે મો.નં. ૯૪૨૮૨ ૭૭૭૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text