મોરબીના તબીબો કેરળ પુરપીડિતોની વ્હારે : આરએસએસના ફંડમાં રૂ. ૨ લાખનું અનુદાન

- text


મોરબી : મોરબીના તબીબોએ સાથે મળીને રૂ. ૨ લાખ જેવી માતબર રકમ આરએસએસને કેરળ પુરપીડિતોની સહાય અર્થે સોંપી છે. આમ પુરપીડિતોની વ્હારે આવીને તબીબોએ મદદનો હાથ લંબાવતા તેઓના આ સેવાકાર્યની ઠેર ઠેર સરાહના થઈ રહી છે.

આરએસએસ સેવા ભારતી સંસ્થા દ્વારા કેરળના પુરપીડિતો માટે ફંડ એકત્ર કરવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. આ ફંડમાં મોરબીના ડોકટરોએ રૂ. ૨ લાખ જેવી માતબર રકમનું અનુદાન કર્યું છે. સમાજના બધાજ વ્યવસાયી સંગઠનો આ રીતે મદદ કરતા થાયતો પીડિતોને બેઠા થતા વાર ન લાગે. મોરબીના લોકોએ પૂર, વાવાઝોડું તથા ધરતીકંપની અસરો અનુભવેલી છે. ત્યારે અનેક લોકો મદદ કરવા દોડી આવ્યા હતા. હાલ કેરળ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ત્યારે મોરબીને ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર મળ્યો છે. જેથી મોરબીવાસીઓને યથાશક્તિ પ્રમાણે સહાય આપવા અનુરોધ કરાયો છે.

- text

- text