- text
મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર આવેલા સીરામીક કારખાનામાં એક મજૂરનું ગૂંગળાઇ જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લખધીરપુર રોડ પર આવેલા એટ્રીમ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા પ્રકાશ કિશનલાલ ચૌહાણ ઉ.વ.૨૫ નામના યુવાન ગત રાત્રીના ૧:૧૫ વાગ્યા આસપાસ કારખાનાની ભઠ્ઠીમાં કામ કરતો હતો. આ દરમિયાન ગૂંગળાઇ જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું.
મોરબી તાલુકા પોલીસે બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text