બગથળા ગામે ચાલતી શિવ કથામાં વૃદ્ધાશ્રમના વૃધ્ધો માટે બસ સેવા આપતા ટ્રાવેલ્સ સંચાલક

- text


મોરબી : મોરબી ના બગથળા ગામે ચાલતી શિવ કથામાં વૃદ્ધાશ્રમના વડીલો કથા શ્રવણનો લાભ લઇ શકે તે માટે મોરબીના ટ્રાવેલ્સ સંચાલક દ્વારા અનેરી સેવા આપવામાં આવી રહી છે.

બગથળા ગામે ચાલી રહેલી શિવ કથામાં મોરબી વૃધ્ધાશ્રમના વડીલો દરરોજ કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે એ માટે પવનસુત ટ્રાવેલ્સના સંચાલક ધનસુખભાઈ દ્વારા પોતાની બસ દ્વારા સવારે વડીલોને લઈ જાય છે અને સાંજે કથા પૂર્ણ થયે વડીલોને પરત વૃદ્ધાશ્રમ મૂકવાની વિનામૂલ્યે અનેરી સેવા આપી રહ્યા છે.

- text

- text