- text
મોરબી: મોરબીના બગથળા ગામે આવેલા નકલંક મંદિરે સુપ્રસિદ્ધ કલાકાર માયાભાઈ આહીરના લોકડાયરાનું આગામી તા.૨૬ ને સોમવારના રોજ રાત્રે ૯:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
બગાથળા ગામે આવેલા લાખો ભવિકોનું આસ્થાનું કેન્દ્ર ગણાતા નકલંક મંદિરે આગામી ૨૬ મીએ લોકડાયરો યોજવા જઇ રહ્યો છે. લોકડાયરમાં જાણીતા કલાકાર માયાભાઈ આહીર લોકગીત તથા ભજનની રમઝટ બોલાવશે.હાલ લોકડાયરા ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે .આ ભવ્ય લોકડાયરા ને સફળ બનાવવા માટે નકલંક મંદિરનો સેવક ગણ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે.
- text
મોરબી જિલ્લાની ધર્મપ્રેમિ જનતાને બગથળા ગામે આગામી ૨૬ મીએ યોજાનાર માયાભાઈ આહીરના લોકડાયરમાં પધારવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text