મોરબી હાઇવે પર યમરાજાનો પડાવ : અકસ્માતના જુદા – જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત

- text


મોરબી : મોરબી હાઇવે પર યમરાજે મુકામ કર્યો હોય તેમ અકસ્માતની જુદી – જુદી ત્રણ ઘટનાઓમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલ છે.

અકસ્માતની પહેલી ઘટનામાં અસગરભાઇ ઇશાભાઇ પીંજારા, ઉ. ૪૫, રહે. મહેન્દ્રાપરા શેરી નં. ૨૨ વાળા આરટીઓ ઓફિસ પાસેથી ચાલીને જતાં હતા ત્યારે ટ્રકના ચાલકે હડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું.

- text

જ્યારે અકસ્માતના બીજા બનાવમાં સુરપાલભાઇ વિકમભાઇ નટ , ઉ.૨૫, રહે નાગડાવાસ વાળા નાગડાવાસના પાટીયા પાસે થી ટ્રેકટરમાં જતાં હતાં ત્યારે ઓચીંતા રોઝડું આડુ ઉતરતા બચાવા જતાં ટ્રેકટરનું લોડર પલ્ટી મારી જતા મોત નિપજ્યું હતુ અને એમની સાથે રહેલા એક વ્યક્તિને ઇજા પહોચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત અકસ્માતના ત્રીજા બનાવમાં હમીરભાઇ બાબુભાઇ સીંધાડીયા ઉ.૧૭,રહે ઇન્દીરાનગર લાલપર પાસે એટલાસ કારખાના પાસે રોડ પર જતા હતા ત્યારે મોટર સાયકલ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે મોરબી પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text