મોરબીમાં સાસુને ધોકો ફટકારનાર જમ સમાન જમાઈ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાયો

- text


પત્નીને તેડવા આવ્યા બાદ ડખ્ખો સર્જાતા વચ્ચે પડેલા સાસુને મારતા કોમાંમાં સરી પડેલા સાસુનું મોત

મોરબી : મોરબીમાં પિયર આવેલી પત્નીને તેડવા આવેલ જમાઈએ સાસુના માથામાં ધોકો ફટકારતા કોમા માં સરી પડેલા સાસુએ દમ તોડતા જમ બનેલા જમાઈ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાયો છે.

બનાવની મળતી વિગત મુજબ મૂળ બગથળા અને હાલ મોરબીના નવા હાઉસિંગમાં રહેતા વ્યાસ જયસુખભાઈની પુત્રીએ રાજકોટના ચેતન બરાસરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.દરમિયાન બંને વચ્ચે મતભેદ થતા જયસુખભાઈની પુત્રી મોરબી પિયરે આવી હતી.૨૦૧૭ ની સાલમાં જમાઈ ચેતને તેને તેડવા આવ્યો હતો ત્યારે દંપતી વચ્ચે ઝગડો અને મારમારી થતા અને તેમાં સાસુ મંજુલાબેન વચ્ચે પાડતા ચેતને સાસુ મંજુલાબેનને માથામાં જોરથી ધોકો ફટકાર્યો હતો અને ગંભીર ઈજાઓ સાથે મંજુલાબેનને સારવારમાં ખસેડ્યા હતા અને તેઓ કોમમાં સરી પડ્યા હતા.

- text

આ ઘટના મામલે આરોપી ચેતન બરાસરા સામે પોલીસે ૩૦૭ નો ગુનો નોંધી તપાસ આદરી હતી અને આરોપી જામીન મુક્ત પણ થયો હતો.

જો કે સારવાર દરમિયાન તા.૨૦ ફેબ્રુઆરીના રોજ મંજુલાબેનનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો જેને પગલે પોલીસે આ ચકચારી ઘટનામાં હત્યાની કલમ ઉમેરી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

- text