હળવદના ટીકર ગામે ગેસ ગળતરના મૃતકોના પરિવારને બે લાખની સહાય

- text


હળવદ : ટીકરગામે ત્રણ માસ પહેલાં થયેલા ગેસ ગળતરથી મૃત્યુ પામેલા ત્રણ યુવાનોના પરીવારને મુખ્યમંત્રી રાહતફંડ માથી બે બે લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

- text

ત્રણ માસ અગાઉ હળવદના ટીકરગામે થયેલા ગેસ ગળતરના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહતફંડ માથી ગેસ ગળતરમા મૃતક ના પરિવાર જનોને બે બે લાખની કુલ છ લાખની સહાય ની જાહેરાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે હળવદના ટીકરગામે ત્રણ માસ અગાઉ બપોરના સમયે મીઠું પકવવા માટે ખારા પાણીના બોરમા સાફસફાઈ માટે અંદર ઉતર્યા બાદ અચાનક બોરમાથી ઝેરી ગેસ નીકળતા યુવાનનો શ્વાસ રૂધાયો હતો તેને બચાવવા તેનો નાનોભાઈ એમ એક પછી એક ત્રણેય શામજી ઠાકોર, અનિલ ઠાકોર અને વાધજી ઠાકોર ના ઝેરી ગેસની અસર થતા ધટના સ્થળે મોત થયા હતા.આ બનાવના પગલે પરિવાર નોધારો થતા પરિવારને મુખ્યમંત્રી રાહતફંડ માથી બે બે લાખની સહાય કરવામાં આવી છે.

- text