- text
મોરબી : મોરબીના અમરેલીમાં વાડીમાં રહી ખેતમજૂરી કરતા આદિવાસી શ્રમિકે ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું હતું.
પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના અમરેલી ગામે રતનશીભાઈ ચારોલાની વાડીએ રહી ખેતીકામ કરતા કમલેશભાઈ નાનજીભાઈ નાયકા નામના આદિવાસી યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
- text
ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.]
- text