મોરબીના મોડપરમાં શિવરાત્રી નિમીતે શોભાયાત્રા યોજાઈ

- text


મોરબી : ભગવાન શિવના પ્રાગટય દિન એટલે શિવરાત્રી, મોરબીના મોડપર ગામે શિવરાત્રી નિમીતે શોભાયાત્રા સહિતના આયોજન કરવામાં આવ્યા હતા અને ગામ સમસ્ત શિવ મય બન્યુ હતું.

શિવરાત્રી ના પર્વ દરમ્યાન ,ઠેર ઠેર ભગવાન શિવજી ની પૂજા અર્ચના તેમજ શોભાયાત્રા ના કાર્યકર્મો યોજાતા હોય છે. હિન્દૂ સંસ્કૃતિ ના સનાતન ધર્મ મુજબ ભગવાન શિવ નો આજે પ્રાગટય દિન હોવાથી શિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે મોરબી તાલુકાના મોડપર ગામના યુવાનો દ્વારા ભગવાન શિવ ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ ધાર્મિક અવસરે મોડપર ગામના તમામ લોકો ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને શિવરાત્રી ના પર્વ નિમતે રાત્રે શિવાલય મંદિરે ધૂન ભજન ના કાર્યક્રમ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text