મોરબી આંખ ની હોસ્પિટલમાં નેત્ર નિદાન કેમ્પનો લાભ લેતા ૩૫૦ દર્દીઓ

- text


સિમ્પોલો ગ્રુપના સહયોગથી યોજાયેલ કેમ્પમાં ૬૫ દર્દીઓના વિનામૂલ્યે ઓપરેશન કરાયા

મોરબી : મોરબીમાં મંગળવારે શિવરાત્રી ના દિવસે આંખ ની હોસ્પિટલ ખાતે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પનો શહેર જિલ્લાના ૩૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

રેખાબેન કાતરિયા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સિમ્પોલો દ્રુપના આર્થિક સહયોગથી સ્વ.કાનૂબેન ગાંડુભાઈ પટેલના સ્મરણાર્થે આંખ ની હોસ્પિટલ ખાતે મંગળવારે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોરબી શહેર જિલ્લાના ૩૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

- text

આ કેમ્પમાં ડો. વી.સી.કાતરીયા, ડો. સુરેશભાઈ દ્વારા દર્દીઓને જોઈ તપાસી ૬૫ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને ટાકા વગર આધુનિક મશીનથી ફેકો પદ્ધતિ વડે મોતિયા ઓપરેશન કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કેમ્પમાં આર્થિક સહયોગ આપનાર સિમ્પોલો ગ્રુપ દ્વારા અવાર નવાર કેમ્પના આયોજન ઉપરાંત હોસ્પિટલમાં દવા તેમજ અન્ય સાધન સહાય માટે હંમેશા તત્પરતા દાખવવામાં આવે છે.

 

- text