- text
દરબાર ગઢ ચોક નજીક પાનની દુકાને ત્રણ લુખ્ખાઓએ આંતક મચાવતા ફરિયાદ
મોરબી : મોરબીના દરબાર ગઢ ચોક નજીક આવેલી પાનની દુકાને ત્રણ લુખ્ખાઓએ આંતક મચાવી અહીં ધંધો કરવો હોય તો હપ્તો આપવો પડે કહી દુકાનના ગલ્લામાંથી રોકડા રૂપિયા ૨૨૭૫૦ ની લૂંટ કરતા સનસનાટી મચી ગઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દરબાર ગઢ ચોક નજીક પાનની દુકાન ધરાવતા પત્રકાર અતુલભાઈ જોશીના નાનાભાઈ ભાસ્કરભાઈ એમ.જોશી પર ત્રણ શખ્સોએ હુમલો કરી અહીયા ધંધો કરવો હોય તો રૂપીયા આપવા પડશે તેમ કહી ધોકા વડે હુમલો કરી સાત દિવસના ધંધાના રોકડા રૂપીયા ૨૨૭૫૦ ની લુટ કરી ત્રણેય શખ્સો નાસી છુટ્યા હતા.
- text
આ હુમલાની ઘટનાની જાણ એ ડિવીઝન પોલીસને કરતા પીએસઆઈ બી.વી.ઝાલા સહીત નો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો અને ભોગ બનનારને સિવીલ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડી બાદમાં લુટ, મારામારી, રાયોટીંગ, સહિતના ગુન્હા મામલે એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
- text